Explore Gujarati Bhajan collection | RekhtaGujarati

ભજન

જેમાં ઈશ્વરને ભજવાનો ભાવ કેન્દ્રમાં હોય એવાં પદને 'ભજન' તરીકે ઓળખવામાં આવે છે. ભજન એ મધ્યયુગનો જાણીતો કાવ્યપ્રકાર છે. વિષયની ભવ્યતા, ગૂઢતાનું નિરૂપણ, સરળ બાની, ગેયત્વ, ચોટદાર ધ્રુવપંક્તિ વગેરે ભજનના લક્ષણો છે.

.....વધુ વાંચો

અગરસિંહ

મધ્યકાલીન સંતકવિ

અત્તર શાહ

અત્તર શાહ સૂરજગ૨ના શિષ્ય. જ્ઞાન અને યોગસાધનાને લગતી તેમની ભજન રચનાઓ મળે છે. ઈ.સ. ની ૧૯મી (ઓગણીસમી) સદીમાં હયાત હોવાનું મનાય છે.

  • 19મી સદી - 19મી સદી

અનુભવાનંદ

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી સંતકવિ. ઈ. સ. ૧૭૧૪માં હયાત. તેમનો જન્મ જૂનાગઢના નાગર પરિવારમાં થયો હતો. પૂર્વાશ્રમનું નામ ભવાનીદાસ. સંન્યાસનું નામ અનુભવાનંદ. તેમણે અધ્યાત્મ અને ભક્તિ વિષયક અનેક કૃતિઓની રચના કરી છે. બ્રહ્મવિલાસ, ભાગવતસાર, શ્રીધર ગીતા, વિષ્ણુ વિલાસ, વિવેક શિરોમણી, આત્મ સ્તવન છંદ, શિવ ગીતા, બ્રહ્મગીતા, અંબાજીનો ગરબો, વૈરાગ્યનાં પદો અને ગરબા-ગરબીઓ તેમણે રચી છે. ‘વિષ્ણુપદ’ નામે જાણીતા આધ્યાત્મિક પદોમાં ઈ. સ. ૧૭૧૪થી ૧૭૩૩ સુધીના રચના વર્ષોનો ઉલ્લેખ મળે છે

અંબારામ ભગત

ભકિત–જ્ઞાનમાર્ગી ભજનવાણીના રચયિતા સંતકવિ.

અમરદાસ

આ સંતકવિની ઉપદેશપ્રધાન રચનાઓ પરંપરાથી કંઠસ્થ રીતે જળવાતી આવી છે. તેમના જીવન અને સમય વિશે કશી માહિતી મળતી નથી.

અમરબાઈ

પરબ પરંપરાનાં નારી સંત.

અમરશી બાપા

રવિભાણ પરંપરાના સંતકવિ.

અમરસંગ

ધ્રાંગધ્રા રાજ્યના રાજા, 'ભક્તરાજ' તરીકે ઓળખાતા આ કવિના પદો લોકપ્રિય છે.

અમીધર

આ મધ્યકાલીન ભક્તકવિના જીવન વિશે કશી માહિતી મળતી નથી. તેમની ભક્તિ રચનાઓ લોકની મૌખિક પરંપરામાં જળવાયેલી છે.

અમીરુદ્દીન

ઉત્તર ગુજરાતના સૂફી સંતકવિ.

અરજણદાસ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ.

આત્મદાસ

કબીર સંપ્રદાયના સંતકવિ.

આદિતરામ

આદિતરામને નામે માતાજી વિષયક કેટલાંક મુદ્રિત પદો મળે છે જેમાંનાં ૧માં ‘અષ્ટાદશ અષાઢે રે કૃષ્ણપક્ષ ત્રતિયાને ગુરુવાર રે’ એવી પંક્તિ છે જે સં. ૧૮૧૮ કે સં. ૧૯૧૮ હોવાની શક્યતા છે. આદિતરામને નામે ૪ કડીનું ભજન મળે છે તથા આદિતરામને નામે કેટલાંક ગરબા, ગરબી, પદો વગેરે મળે છે. આ આદિત, આદિતરામ અને આદિત્યરામ કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

આનંદઘન

જૈન સંપ્રદાયના સાધુકવિ.

  • 17મી સદી -

આંબેવ ભગત

મહાપંથના સંતકવિ.

આંબા છઠ્ઠા

વડવાળાધામ (દૂધરેજ)ની પરંપરાના સંતકવિ.

આલમ

મધ્યકાલીન ભક્તકવિ. તેમનો જન્મ ઈ. સ. ૧૫૫૬માં થયો હોવાનું નોંધાયેલું મળે છે. તેમના શ્રી કૃષ્ણની ભક્તિને લગતા પદો લોકની લેખિત-મૌખિક પરંપરામાં જળવાયેલાં છે.

  • 1556 -