Explore Gujarati Bhajan collection | RekhtaGujarati

ભજન

જેમાં ઈશ્વરને ભજવાનો ભાવ કેન્દ્રમાં હોય એવાં પદને 'ભજન' તરીકે ઓળખવામાં આવે છે. ભજન એ મધ્યયુગનો જાણીતો કાવ્યપ્રકાર છે. વિષયની ભવ્યતા, ગૂઢતાનું નિરૂપણ, સરળ બાની, ગેયત્વ, ચોટદાર ધ્રુવપંક્તિ વગેરે ભજનના લક્ષણો છે.

.....વધુ વાંચો

અગરસિંહ

મધ્યકાલીન સંતકવિ

અચલરામ

આ સંતકવિની સાધના અને ઉપદેશની રચનાઓ લોકકંઠે પ્રચલિત રહી છે. એ સિવાય તેમના વિશે કોઈ માહિતી મળતી નથી.

અત્તર શાહ

અત્તર શાહ સૂરજગ૨ના શિષ્ય. જ્ઞાન અને યોગસાધનાને લગતી તેમની ભજન રચનાઓ મળે છે. ઈ.સ. ની ૧૯મી (ઓગણીસમી) સદીમાં હયાત હોવાનું મનાય છે.

  • 19મી સદી - 19મી સદી

અંબારામ ભગત

ભકિત–જ્ઞાનમાર્ગી ભજનવાણીના રચયિતા સંતકવિ.

અમરદાસ

આ સંતકવિની ઉપદેશપ્રધાન રચનાઓ પરંપરાથી કંઠસ્થ રીતે જળવાતી આવી છે. તેમના જીવન અને સમય વિશે કશી માહિતી મળતી નથી.

અમરબાઈ

પરબ પરંપરાનાં નારી સંત.

અમરશી બાપા

રવિભાણ પરંપરાના સંતકવિ.

અમીરુદ્દીન

ઉત્તર ગુજરાતના સૂફી સંતકવિ.

અરજણદાસ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ.

આત્મદાસ

કબીર સંપ્રદાયના સંતકવિ.

આનંદઘન

જૈન સંપ્રદાયના સાધુકવિ.

  • 17મી સદી - 17મી સદી

આંબેવ ભગત

મહાપંથના સંતકવિ.

આંબા છઠ્ઠા

વડવાળાધામ (દૂધરેજ)ની પરંપરાના સંતકવિ.

ઈબ્રાહીમ

ઉત્તર ગુજરાતના મશાયખી મોમીન સંપ્રદાયના સંતકવિ.

ઉકા ભગત

સુરતના રુસ્તમપુરાની ચલમવાડના સંતકવિ. વેદાંતી તત્ત્વજ્ઞાનના તેમ જ સંતસાધનાના સિદ્ધાંતો તેમનાં ભજનોમાં નિર્દેશિત થયેલા છે.

ઉગારામ

ઉગાપંથના સ્થાપક સંત.

ઉમર બાવા

પીર કાયમુદ્દીન ચિશ્તીની પરંપરાના સૂફી સંતકવિ.

  • 18મી સદી -