Famous Gujarati Akhyan on Jashoda | RekhtaGujarati

જશોદા પર આખ્યાન

કૃષ્ણનું સ્થાન ભારતમાં

ધાર્મિકતાને કારણે આદરણીય છે અને તેથી કૃષ્ણના નજીકના પાત્રો પણ લોકહૈયે છે. દેવકી પુત્ર કૃષ્ણનો ઉછેર નંદ અને જશોદાએ કર્યો હતો અને કૃષ્ણની બાળલીલાઓ દરમિયાન જશોદાના લાલનપાલનમાં કૃષ્ણ ઉછરી રહ્યા હતા. ત્યારે કૃષ્ણના વ્રજની ગોપીઓ સાથે મીઠા ઝગડા થતાં તેની ફરિયાદ ગોપીઓ જશોદાને કરતાં. આમ, કૃષ્ણની જીવનીના એક મહત્ત્વપૂર્ણ ભાગ સાથે જશોદાનું પાત્ર જોડાયેલું છે. જશોદાએ અન્યના પુત્રને જે પોતીકાપણા સાથે ઉછેર્યો એ બાબત વિવિધ સંજોગોમાં સંસારમાં અલગ અલગ સંદર્ભો સાથે સદીઓથી ઘટતી રહી છે. માટે પારકું સંતાન ઉછેરતી મા - જશોદા, જાણે સાહિત્યમાં સનાતન પાત્ર બની ગયું છે.

.....વધુ વાંચો