Famous Gujarati Lokgeeto on Fal | RekhtaGujarati

ફળ પર લોકગીતો

ફૂલની જેમ ફળ પણ વૃક્ષ

કે છોડના બીજ સાચવે અને ફેલાવે છે. ફળ પચવામાં સરળ અને સ્વાસ્થય માટે ગુણકારી હોય છે. લોકબોલીમાં પરિણામ માટે પણ ‘ફળ’ શબ્દનો ઉપયોગ થાય છે. ‘મા ફલેષુ કદાચન’ શ્લોકનો ભાવાર્થ ‘ફળની ચિંતા કર્યા વિના કર્મ કરતાં રહેવું’ કહેવતની જેમ વ્યવહારમાં વપરાય છે. ‘ધીરજના ફળ મીઠા’ એક સુપરિચિત કહેવત છે. ‘મહેનતનુ ફળ’ જાણીતો શબ્દપ્રયોગ છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિ પરથી કઢાતા તારણને ‘ફળાદેશ’ કહે છે, જેનો ‘ફળ’ શબ્દ સાથે સીધો સંબંધ નથી પણ ‘પરિણામ’નો અર્થવિસ્તાર છે. ફળ વેચતાં ખેડું દંપતિની એક સુંદર વાર્તા ઝવેરચંદ મેઘાણીએ ‘બૂરાઈના દ્વારેથી’ના નામે લખી છે. વિશેષણ અને ઉપમા તરીકે ફળ અવારનવાર સાહિત્યકૃતિઓમાં જોઈ શકાય છે.

.....વધુ વાંચો