Famous Gujarati Nazms on Abhaav | RekhtaGujarati

અભાવ પર નઝમ

કોઈક વસ્તુ કે વ્યક્તિની

ખોટ સાલવી. વિયોગ કે વિરહની કૃતિઓમાં અભાવ તત્ત્વનું ભરપૂર વર્ણન હોવાનું. હરીન્દ્ર દવેની નવલકથા ‘માધવ ક્યાંય નથી’માં મથુરામાં કૃષ્ણના રાજ્યાભિષેક બાદ ગોકુળમાં એમનો અભાવ કઈ રીતે વ્યાપ્ત છે એ જ વિષય છે. આ જ શીર્ષકના હરીન્દ્ર દવેના ગીતમાં પણ આ જ વિષય છે. અભાવ વ્યક્તિ કે વસ્તુનો જ નથી હોતો, બલકે કોઈ એક વૃત્તિ કે ભાવનો પણ હોઈ શકે જે સાહિત્યનો વિષય બની જાય. ગુલાબદાસ બ્રોકરની વાર્તામાં નાયકમાં અંધારી રાતે વહેમવાળી જગ્યાએથી પસાર થવા આવશ્યક હિંમતનો અભાવ છે અને એ અભાવ એની કુંઠાઓમાંથી નિપજ્યો છે જે વાર્તાનું હાર્દ છે.

.....વધુ વાંચો

નઝમ(1)