આનંદ પર બાળવાર્તાઓ
પ્રસન્નતા. હર્ષ. સફળતા.
પ્રિય વ્યક્તિ કે તત્ત્વ સાથેનો મેળાપ, વિજય, પ્રાપ્તિ ટાંકણે અનુભવાતી પ્રફુલ્લતા. આનંદની રજૂઆત માટે સાહિત્યકારો પ્રકૃતિ કેટલી સરસ ખીલી છે એ વર્ણનની પરંપરા અનુસરતા રહ્યા છે. આનંદ સાર્વત્રિક અને અંગત બંને પ્રકારનો હોઈ શકે. સાહિત્યકૃતિમાં ‘કશુંક બને’ એ મૂળભૂત જરૂરિયાત છે. જે બને એ કાં હકારાત્મક હોય કાં નકારાત્મક અને હકારાત્મક હોય એમાં આનંદની સંભાવના હોય. કળાનું સર્જન અભિવ્યક્તિ માટે થયું અને કળાની અસર સંવેદનાત્મક હોય છે, જેમાં આનંદ મુખ્ય છે.
બાળવાર્તા(5)
-
સ્મિતનું મૂલ્ય
હસમુખ એક નાનો છોકરો હતો. એનું ઘર ગરીબ હતું. એને ઘણું ઘણું લેવાનું મન થતું, પણ એમાંનું ઘણું એ નહોતો મેળવી શકતો. છતાં એ સુખી હતો. આનંદમાં રહેવાનું એ શીખી ગયો હતો. આ શીખ એની પ્રેમાળ બા પાસેથી મળી હતી.
-
હવેલીની ચાવી
એક મોટી હવેલી. એના વૈભવની વાત કહેતાં તો કાંઈ પાર ના આવે. એની આગળ મોટો દરવાજો. દરવાજો ખોલો એટલે આવે મોટો ચોક. દરવાજાથી હવેલીના મુખ્ય ખંડ સુધી જતો એક રસ્તો. તે આખો સરસ જાજમથી પથરાયેલો. જમણી બાજુએ ચંપાનું ઝાડ. હવેલીની પાસે તો તુલસી જ તુલસી!
-
ખરો ખજાનો
ઘણાં વરસ પહેલાંની વાત છે. વારાણસી નગરીમાં એક કાવડિયો રહેતો હતો. એક મજબૂત લાકડીને બે છેડે બે પલ્લાં લટકતાં હોય. એમાં બોજ મુકાય. પાણી મુકાય. દહીં-દૂધ મુકાય ક્યારેક માનવીને પણ પલ્લાંમાં બેસાડાય. પુરાણોમાં સેવાવ્રતી શ્રવણની