આશરે ૨૫૦ વર્ષ પહેલાં ઉત્તર-ગુજરાતમાં થઈ ગયેલા મુસ્લિમ સંત સુબ્હાન યુવાનીમાં નિર્દય હતા. તે અરસામાં ઉત્તર-ગુજરાતના સંત સાંઈ દીન દરવેશનો ભેટો થયો. સતસંગના પ્રભાવથી અને સાંઈ દીન દરવેશના ઉપદેશથી તેમનું જીવન બદલાઈ ગયું અને તેઓ અધ્યાત્મ તરફ વળી ગયા. તેમણે વૈષ્ણવી ભક્તિનાં અને કળિયુગ અંગેનાં અનેક પદોની રચનાઓ કરી છે. સમાજને ભક્તિ, ભાઈચારો, નેકી-ટેકી પર ચાલવાનો ઉપદેશ આપ્યો છે.