પરબ પરંપરાના સંતકવિ.
પરબ પરંપરાના સંતકવિ. સમય ઈ. સ. 19મી સદી. તે જામનગરના નિવાસી હતા. તેમનો જન્મ કુંભાર પરિવારમાં થયો હતો. પરબ પરંપરાના સંત સાંઈ શેલાણીના શિષ્ય. તે સાંઈ હમીરા તરીકે પણ લોકમાં ઓળખાય છે. તેમનાં ભજનોમાં ગુરુમહિમા અને નીતિબોધની અભિવ્યક્તિ થયેલી છે.