ketla wagya hashe - Ghazals | RekhtaGujarati

કેટલા વાગ્યા હશે

ketla wagya hashe

કૈલાસ પંડિત કૈલાસ પંડિત
કેટલા વાગ્યા હશે
કૈલાસ પંડિત

કેટલા વાગ્યા હશે,

હજી ઊઠ્યા હશે.

ના નથી દીવાનગી,

વસ્ત્ર છે ફાડ્યા હશે.

મહેક કાં પથરાઈ ગઈ,

કશું બોલ્યા હશે.

આજ બોલ્યા નહિ,

કોઈએ ટોક્યા હશે.

મેં ગઝલ પૂરી કરી,

કેશ તેં ગૂંથ્યા હશે.

સ્રોત

  • પુસ્તક : ખરાં છો તમે (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સર્જક : કૈલાસ પંડિત
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1995