ચાંદની પર ગઝલો
ચાંદની : સૂર્યનો પ્રકાશ
ચંદ્રની સપાટી પરથી પરાવર્તિત થઈને પૃથ્વી પર ફેલાય તેને ‘ચાંદની’ કહે છે. ચંદ્રનો પ્રણયજન્ય પારંપારિક સાહિત્યિક સંબંધ ચાંદનીને પણ લાગુ પડે છે. પ્રણયકાવ્યો અને ગદ્યમાં પ્રણયપ્રસંગોમાં રાતના વર્ણનમાં ચાંદની અચૂક હોવાની.