આણું પર ગીત
સામાજિક પરંપરામાં નવવિવાહિત
કન્યાને પિયરથી કે સાસરેથી આવતાં તેડાંને ‘આણું’ કહે છે. અહીં મુખ્ય સાર છે : તેડાં બાદ વહુનું આવવું. – આટલી વિગત સાહિત્ય સર્જક માટે એક ચોક્કસ ઘટનાક્રમનું માળખું છે – તેડાંના પ્રતિસાદમાં આવવું – આટલા સૂત્રમાં લેખક પારંપારિક કે કલ્પી પણ ન હોય એવી કોઈની પુનઃઆગમનની ઘટના કે પ્રતિક્ષિત વ્યક્તિ કે પ્રકૃતિનું કોઈ તત્ત્વ કે અન્ય કોઈ દુન્યવી બાબતને વણીને પોતાની વાત મૂકી શકે.