Ugaraam Profile & Biography | RekhtaGujarati

ઉગારામ

ઉગાપંથના સ્થાપક સંત.

  • favroite
  • share

ઉગારામનો પરિચય

બાંદરા (તા. ગોંડલ. જિ. રાજકોટ) મુકામે મેઘવાળ પરિવારમાં ઈ. . 1928માં જન્મ. તેમનાં પત્નીનું નામ સોનામા હતું, પુત્ર ભલાભાઈ. તેમણે હીરસાગર સાહેબ પાસે દીક્ષા લીધી હતી. તરધરીના લાભુશંકર જોશી, હરજીવનદાદા અને અમરનગરના પૂંજલ પીર ઉગારામજીના મુખ્ય શિષ્યો. રવિ-ભાણ સંપ્રદાયના સાધના સિદ્ધાંતો અને સંતવાણીનાં તત્ત્વોનો પોતાના આગવા દૃષ્ટિબિંદુથી લોક સમાજમાં પ્રચાર કરી તેમણે એક નવો જ સંપ્રદાય ઉગાપંથસ્થાપ્યો છે. સમાધિ ઈ. . 1968માં બાંદરા મુકામે.