Sudhanshu Profile & Biography | RekhtaGujarati

સુધાંશુ

ગાંધીયુગના અધ્યાત્મરંગી કવિ અને વાર્તાકાર

  • favroite
  • share

સુધાંશુનો પરિચય

ગુજરાતીના કવિ અને વાર્તાકાર. તેમનું મૂળ નામ દામોદર કેશવજી ભટ્ટ હતું પણ તેઓ તેમના ઉપનામસુધાંશુથી વધુ જાણીતા હતા. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમના જન્મસ્થળ પોરબંદરમાં થયું હતું. .. 1931માં મૅટ્રિક થયા અને ત્યાર બાદ તેમણે વડોદરા કૉલેજમાં એફ.વાય.બી.. સુધીનો અભ્યાસ કર્યો હતો. 193233માં રાણપુરમાંસૌરાષ્ટ્રદૈનિકના કાર્યાલયમાં નોકરીની શરૂઆત તેમણે કરી હતી. થોડો વખત મુંબઈમાંજન્મભૂમિદૈનિકમાં ઝવેરચંદ મેઘાણી સાથે પત્રકારત્વ ક્ષેત્રે કામ કરી પછીથી તેઓ પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સ્થાયી થયા. 1971માં નિવૃત્તિ બાદ તેમણે પોરબંદર નગરપાલિકાના બાળમંદિરમાં 1978 સુધી આચાર્ય તરીકે સ્વૈચ્છિક સેવા પણ આપી હતી. 1928માં ગાંધીજીના નેતૃત્વ હેઠળ પોરબંદરમાં મળેલા રાષ્ટ્રીય કૉંગ્રેસના અધિવેશનમાં સ્વયંસેવક તરીકે કામગીરી કરી.

સુધાંશુને મેઘાણીના ગાઢ પરિચયમાં આવવાનું બનેલું અને મેઘાણીએ એમને પોરબંદર, બરડા, અને સોરઠના સાગરકાંઠાનાં ભજન, લોકસાહિત્ય, અને સાગરખેડુઓના જીવનને લગતું સંશોધનકાર્ય સોંપેલું, જેની ફલશ્રુતિરૂપેબુદ્ધિપ્રકાશ’, ‘ઊર્મિનવરચના’, ‘પ્રજાબંધુ’, ‘નવચેતન, વગેરે સામયિકોમાં એમની લેખમાળાઓ પ્રગટ થયેલી. દરમિયાન એમને પણ ભજનની લગની લાગી, જેને પરિણામે એમની પાસેથીઅલખનો પારાવારનામે ભજન વિશેનો સંશોધનલેખ તથા પછીથી સુંદર ભજનો સાંપડ્યાં.

એમની પાસેથીરામસાગર’ (1950), ‘અલખતારો’ (1956), ‘સોહમ્’ (1960), અને કવિ સમ્રાટ ન્હાનાલાલને (સં. હિમાંશુ ભટ્ટ, 1977) જેવા કાવ્યગ્રંથો સાંપડે છે. એમણે પ્રાચીન ભજનોના ઢાળ પ્રયોજીને નૂતન ભજનો રચ્યાં છે. નીતિન વડગામા તેમની કવિતા વિશે લખે છે કે, “એમની કવિતામાં અધ્યાત્મદૃષ્ટિ અને ભજનોની મસ્તી પ્રગટાવતી તળપદી સોરઠી શબ્દોની છાંટવાળી અને ગિરનારી અલખ સૃષ્ટિના રંગવાળી લખાવટ ધ્યાન ખેંચે છે. એમનાં ભજનકાવ્યોમાં જીવ–શિવના એકાત્મભાવનું આલેખન તથા ગુરુ અને સંતનું મહિમાગાન થયું છે, તો સમાંતરે એમાં સાગરદર્શન અને પ્રકૃતિનિરૂપણ પણ થતું રહ્યું છે. આત્મશ્રદ્ધાનો રણકો અને ઊર્ધ્વચૈતન્યનો નાદ પ્રગટાવતાં એમનાં ભજનો સાગર, સરિતા, આકાશ, ડુંગર, પૃથ્વી, વીજ જેવાં પ્રકૃતિતત્ત્વોનું ચિત્રાંકન પણ કરે છે. કવિનાં શહીદો વિશેનાં કાવ્યોમાં એમનો માનવતાવાદી અભિગમ પ્રગટે છે. વળી, ગાંધીજીવિષયક અંજલિકાવ્યો સત્યધર્મી બાપુના અહિંસાવ્રત અને અનાસક્ત કર્મયોગ પર પ્રકાશ પાડે છે. ન્હાનાલાલની શતાબ્દી નિમિત્તે પ્રકાશિત કવિ સમ્રાટ ન્હાનાલાલનેમાં ન્હાનાલાલને સંબોધીને થયેલી ચાળીસ રચનાઓ છે. ભજનના ઢાળમાં રચાયેલી કૃતિઓમાં ન્હાનાલાલનું પ્રશસ્તિગાન થયું છે.”

સુધાંશુ પાસેથીહલેસાં’ (1966) નામે વાર્તાસંગ્રહ મળે છે. એમના પ્રથમ કાવ્યસંગ્રહરામસાગરને મહિડા પારિતોષિક પ્રાપ્ત થયું હતું.