Snehal Joshi Profile & Biography | RekhtaGujarati

સ્નેહલ જોષી

સમકાલીન ગઝલકાર અને વિવેચક

  • favroite
  • share

સ્નેહલ જોષીનો પરિચય

જન્મ 5 ઓક્ટોબર, 1976. જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાનું મૂળી. મૂળ વતન બોટાદ. હાલમાં પોરબંદરની શ્રી કે.એચ.માધવાણી કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે કાર્યરત. તેમની પાસેથી 'સૂર્યનો સંદર્ભ' (2010) શીર્ષકથી ગઝલસંગ્રહ અને 'વમળ વચ્ચે' (2023) કાવ્યસંગ્રહ મળે છે. 'સંસ્કૃત ગઝલ' (2012) એ પીએચ.ડી. નિમિત્તે થયેલું સંશોધન છે. 'પદાર્થ' (2017) અને 'રસાર્ણવ'(2020)માં અભ્યાસ લેખો, આસ્વાદ, અવલોકનો ગ્રંથસ્થ થયેલાં છે.