મધ્યકાળના સૂફી સંત.
તેમના જીવન વિશે એટલી જ માહિતી મળે છે કે તે પીર ઇબ્રાહિમ પિરાનીવાલેના શિષ્ય હતા અને તેમણે સમાજમાં માનવ-એકતાનો સંદેશ આપેલો. તેમનાં કેટલાંક ભજનો મળે છે, જેમાં કળિયુગનું વર્ણન તેમ જ નીતિબોધ વ્યક્ત થયેલો છે.