વૈષ્ણવ સંપ્રદાયનાં ભક્ત કવયિત્રી. સમય ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધથી ૧૮મી સદી પૂર્વાર્ધ. વલ્લભાચાર્યના પૌત્ર ગોકુલનાથજીનાં શિષ્યા. પ્રાંતિજનાં વતની. તેમણે વિવાહ ઉત્સવનાં પદ અને શોભન, કેટલાંક ધોળ, ‘ગોકુળનાથજીનો વિવાહ-ખેલ’, ૨ ગુજરાતી અષ્ટપદીની રચના કરી છે. ૧૩૪ પ્રસંગોના ‘નિત્યચરિત્ર’ની પણ તેમણે રચના કરી હોવાનું કહેવાય છે.