Ratanbai - 1 Profile & Biography | RekhtaGujarati

રતનબાઈ – ૧

વેદાંતી ધારાનાં જ્ઞાનમાર્ગી સંતકવયિત્રી

  • favroite
  • share

રતનબાઈ – ૧નો પરિચય

. . ૧૭૮૧માં હયાત. અમદાવાદના વતની. જ્ઞાતિએ નાગર. અખાની શિષ્યપરંપરાના હરિકૃષ્ણજી એ જ એમના પિતા અને ગુરુ. પિતાના સંતજીવનથી પ્રભાવિત થઈ પતિની અનુમતિ લઈ એમણે સંસારનો ત્યાગ કરેલો. એમનાં ગુરુમહિમાનાં અને જ્ઞાનવૈરાગ્યનાં ભજનો મળે છે.