વેદાંતી સંતકવિ
જન્મ ઈ. સ. ૧૮૯૭માં સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના નગવાડા ગામે બ્રાહ્મણ પરિવારમાં માયારામ ઠાકરને ત્યાં. આત્મારામ જન્મનું નામ છે અને પૂંજીરામ દીક્ષાનામ. તેમણે ઈ. સ. ૧૯૧૪માં લીંબડીમાં શંકરાચાર્ય જગન્નાથ તીર્થસ્વામી પાસે દીક્ષા લીધી હતી. ઈ. સ. ૧૯૧૬માં નગવાડા પાસેના વીસાવડી ગામે હરિહર આશ્રમ સ્થાપ્યો. દસાડા, બજાણા, જૈનાબાદ, વણાદ, ઝીંઝુવાડા વગેરે પંથકમાં લોકસેવા અને લોકશિક્ષણનું કાર્ય કર્યું.