પીર કાયમુદ્દીન ચિશ્તીના શિષ્ય. ખંભાતની ખારવા કોમના એક ખલાસી હતા, પરંતુ તેમણે મોટાભાગનું જીવન ભરૂચમાં વિતાવ્યું હતું. તેમણે ભક્તિભાવના તથા સાધનાત્મક અનુભૂતિનાં ભજનો રચ્યાં છે. આજે પણ ખારવા સમાજમાં તેમના અનેક અનુયાયીઓ છે. તેમનાં ભજનોમાં ગુરુમહિમા, સૂફીસાધના અને સંતસાધનાનાં તત્ત્વો જોવા મળે છે.