બાલકસાહેબના શિષ્ય. વાણવી શાખના મેઘવાળ પરિવારમાં ઈ. સ.૧૮૪૦માં ડેડરવા (જિ. જૂનાગઢ) ગામે જન્મ. એ સમયના બહારવટિયા જમિયતશાની સાથે રહીને બાર વર્ષ સુધી બહારવટું ખેડેલું. એ પછી બાલકસાહેબનો ભેટો થતાં અંતકરણ પરિવર્તન પામ્યું અને તેમણે દીક્ષા લીધી. વિવાહ: ખજુરા ખાટલી ગામે. પાંચ દીકરા હતા. તેમાંથી ચારની વંશપરંપરા ચાલુ છે. એમનાં ભજનોમાં સંત-સાધના, ગુરુમહિમા, નીતિબોધ અને ભક્તિનું આલેખન છે. સમાધિ ઈ. સ.૧૮૮૯માં વંથલી મુકામે.