નિઝારી ઈસ્માઈલી પીર પરંપરાના સંતકવિ. સમય ઈ. સ. 15મી સદી. તે નૂર સતાગરના અનુયાયી હતા એવું જાણવા મળે છે. ઈ. સ. 1430માં તેમની નિમણૂક નિઝારી ઉપદેશક તરીકે થયેલી. તેમની રચનાઓમાં હિન્દુ-મુસ્લિમ દર્શનનો સમન્વય જોવા મળે છે તેમ જ નિઝારી દર્શનનું નિરૂપણ થયેલું છે.