શિરમોર જ્ઞાનમાર્ગી સંતકવિ
દેથાણ (તા. કરજણ, જિ. ભરૂચ) મુકામે ગોહિલ રાજપૂત પરિવારમાં જન્મ. પિતા ઉમેદસિંહ, માતા હેતાબા. પ્રથમ દીક્ષા કણઝટના રામાનંદી સાધુ ગોકળદાસ પાસે. ત્યારબાદ સચ્ચિદાનંદ પરિવ્રાજક દંડીસ્વામી, અમનસાહેબ વગેરે સંતો સૂફીઓ પાસેથી નિર્ગુણ ઉપાસનાધારામાં આગળ વધેલા. એમના નામ સાથે જોડાયેલો 'નિરાંત સંપ્રદાય' ખૂબ વિસ્તર્યો છે.