પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ
આ સંતકવિનો જીવનકાળ ઈ. સ. ૧૭૬૮થી ૧૮૫૨ છે. તેમનો જન્મ પેટલાદ તાલુકા(જિ. આણંદ)ના પીજ ગામે મોઢ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અવસાન ગોમતીપુર – અમદાવાદમાં થયું હતું. તેમની રચનાઓમાં નીતિબોધ વિશેષપણે જોવા મળે છે.