કાપડી પંથના સાધુ. જન્મ કચ્છના નાની ખોંભડી ગામેં ભટ્ટી રાજપૂત પરિવારમાં હ૨ધોળજી અને પબાબાઈને ત્યાં. ગુરુ ગાંગોજી કાપડી. સૌરાષ્ટ્રના સરભંગઋષિના આશ્રમ (પરબ)નો ધૂણો ચેતાવ્યો. ધ્રંગ-લોડાઈ (કચ્છ) ગામે આશાપુરાનું સ્થાનક કર્યું. લીરબાઈ નામે આહીર કન્યાને દીક્ષા. આજીવન તેમણે લોકસેવા અને લોકસુધારણાનું કર્તવ્ય નિભાવ્યું હતું. તેમણે માનવમૂલ્યોની જાગૃતિ તેમ જ માનવએકતા પર સવિશેષ ભાર મૂક્યો હતો. ઈ. સ. ૧૭૩૦માં ૧૨ શિષ્યો સાથે જીવતાં સમાધિ લીધી હતી. રચનાઓમાં કચ્છી બોલીમાં ભજનવાણી, સાખીઓ મળે છે.