Explore medieval gujarati poetry collection | RekhtaGujarati

મધ્યકાલીન કવિતા

અર્વાચીનકાળ પહેલા જે સાહિત્ય રચાયું તે મધ્યકાલીન સાહિત્ય. બારમી સદીથી લઈને 19મી સદીના પૂર્વાર્ધ સુધીના 700 વર્ષના ગાળાને 'મધ્યકાળ' તરીકે ઓળખવામાં આવે છે. આ ગાળાનું સાહિત્ય બહુધા પદ્યસ્વરૂપમાં રચાયું છે. પદ, આખ્યાન, ગરબો, ગરબી, ફાગુ, બારમાસી, પ્રબંધ, પદ્યવાર્તા, દુહા એમ વિવિધ સ્વરૂપમાં રચાયેલું સાહિત્ય આપ અહીં માણી શકશો.

.....વધુ વાંચો

અખઈદાસ

મધ્યકાળના મહત્ત્વપૂર્ણ સંતકવિ

  • 1762ના અરસામાં -

અખો

મધ્યકાળના જ્ઞાનમાર્ગી કવિ

અમરસંગ

ધ્રાંગધ્રા રાજ્યના રાજા, 'ભક્તરાજ' તરીકે ઓળખાતા આ કવિના પદો લોકપ્રિય છે.

આંબા છઠ્ઠા

વડવાળાધામ (દૂધરેજ)ની પરંપરાના સંતકવિ.

કૃષ્ણાબાઈ

મધ્યકાલીન કવયિત્રી, તેમની 'સીતાજીની કાંચળી' રચના જાણીતી છે.

કાળિદાસ

આખ્યાનકાર

  • ૧૮મી સદી ઉત્તરાર્ધ -

ખીમસાહેબ

ખીમસાહેબ રવિભાણ સંપ્રદાયના તેજસ્વી સંતકવિ છે. આ સંપ્રદાયના આદ્યપુરુષ ભાણસાહેબના બૂંદશિષ્ય એટલે કે પુત્ર અને શિષ્ય હતા.

ગંગાસતી

ગુજરાતી સંતસાહિત્યનાં શિરમોર સંત કવયિત્રી

ગેમલદાસ

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી સંતકવિ.

ગોદડ

મધ્યકાલીન સંતકવિ. હિન્દી ભાષાનો પ્રભાવ ધરાવતા ગુજરાતી ભજનો માટે જાણીતા.

  • 19મી સદી -

છોટમ કવિ

19મી સદીના ગુજરાતના સંતકવિ

જીવણ સાહેબ

રવિ-ભાણ પરંપરાના શિરમોર ભજનિક અને સંત, ભીમસાહેબના શિષ્ય

ત્રિકમસાહેબ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ અને ખીમસાહેબના શિષ્ય.

દયારામ

મધ્યકાળના છેલ્લા તેજસ્વી સર્જક

દેવાનંદ

સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંતકવિઓ પૈકીના એક, દલપતરામના કાવ્યગુરુ

  • 1803 - 1854

ધનો

ભક્તકવિ, ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે’ જેવા પ્રચલિત પદનાં કર્તા

  • 19મી સદી પૂર્વાર્ધ -

ધીરો

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાના કવિ

  • 1753 - 1825

નરભેરામ

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ