Explore medieval gujarati poetry collection | RekhtaGujarati

મધ્યકાલીન કવિતા

અર્વાચીનકાળ પહેલા જે સાહિત્ય રચાયું તે મધ્યકાલીન સાહિત્ય. બારમી સદીથી લઈને 19મી સદીના પૂર્વાર્ધ સુધીના 700 વર્ષના ગાળાને 'મધ્યકાળ' તરીકે ઓળખવામાં આવે છે. આ ગાળાનું સાહિત્ય બહુધા પદ્યસ્વરૂપમાં રચાયું છે. પદ, આખ્યાન, ગરબો, ગરબી, ફાગુ, બારમાસી, પ્રબંધ, પદ્યવાર્તા, દુહા એમ વિવિધ સ્વરૂપમાં રચાયેલું સાહિત્ય આપ અહીં માણી શકશો.

.....વધુ વાંચો

અખઈદાસ

મધ્યકાળના મહત્ત્વપૂર્ણ સંતકવિ

  • 1762ના અરસામાં -

અખો

મધ્યકાળના જ્ઞાનમાર્ગી કવિ

અનુભવાનંદ

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી સંતકવિ. ઈ. સ. ૧૭૧૪માં હયાત. તેમનો જન્મ જૂનાગઢના નાગર પરિવારમાં થયો હતો. પૂર્વાશ્રમનું નામ ભવાનીદાસ. સંન્યાસનું નામ અનુભવાનંદ. તેમણે અધ્યાત્મ અને ભક્તિ વિષયક અનેક કૃતિઓની રચના કરી છે. બ્રહ્મવિલાસ, ભાગવતસાર, શ્રીધર ગીતા, વિષ્ણુ વિલાસ, વિવેક શિરોમણી, આત્મ સ્તવન છંદ, શિવ ગીતા, બ્રહ્મગીતા, અંબાજીનો ગરબો, વૈરાગ્યનાં પદો અને ગરબા-ગરબીઓ તેમણે રચી છે. ‘વિષ્ણુપદ’ નામે જાણીતા આધ્યાત્મિક પદોમાં ઈ. સ. ૧૭૧૪થી ૧૭૩૩ સુધીના રચના વર્ષોનો ઉલ્લેખ મળે છે

અમરસંગ

ધ્રાંગધ્રા રાજ્યના રાજા, 'ભક્તરાજ' તરીકે ઓળખાતા આ કવિના પદો લોકપ્રિય છે.

આંબા છઠ્ઠા

વડવાળાધામ (દૂધરેજ)ની પરંપરાના સંતકવિ.

  • 1844 આસપાસ -

ખીમસાહેબ

ખીમસાહેબ રવિભાણ સંપ્રદાયના તેજસ્વી સંતકવિ

ગંગાસતી

ગુજરાતી સંતસાહિત્યનાં શિરમોર સંત કવયિત્રી

ગિરધર

આખ્યાનકાર અને પદકવિ, ૨૯૯ અધ્યાયો અને લગભગ દસ હજાર કડીઓ ધરાવતાં બૃહદ્ 'રામાયણ'ના કર્તા

ગોદડ

મધ્યકાલીન સંતકવિ

  • 19મી સદી -

છોટમ કવિ

19મી સદીના ગુજરાતના સંતકવિ

જેઠીરામ

કચ્છ પ્રદેશના સંતકવિ. દેવાસાહેબના પટ્ટશિષ્ય. કચ્છના રાવ રાયઘણજી-1ની પાંચમી પેઢીનું સંતાન.

જેસલ

કચ્છના જાણીતા સંત

જસોમા

ગિરનારી સંત વેલાબાવાનાં પત્ની, સંત કવયિત્રી

જીવણ સાહેબ

રવિ-ભાણ પરંપરાના શિરમોર ભજનિક અને સંત, ભીમસાહેબના શિષ્ય

ડુંગરપુરી

મધ્યકાળના સંતકવિ

  • 1834 - 1911

ત્રિકમસાહેબ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ અને ખીમસાહેબના શિષ્ય

તોરલ

કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતની ભજનપરંપરામાં અત્યંત લોકપ્રિય મહાપંથનાં સંતકવયિત્રી

  • 1328 - 1394