ગિરનારી સંત વેલાબાવાનાં પત્ની, સંત કવયિત્રી
સમય ઈ. સ. 19મી સદી પૂર્વાર્ધ. કોળી જ્ઞાતિનાં આ ભક્તનારીએ ગિરનારી શિલા નીચે તેના પતિ વેલાબાવા સમાધિસ્થ થયા ત્યારે પોતાના વિરહ ભાવને આધ્યાત્મિકતાથી વર્ણવતું એક ભજન ગાયેલું અને વેલાબાવાએ સતીને પોતાની સાથે સમાધિમાં સમાવેલાં એવી લોકવાયકા છે.