આ ભક્તકવિ ખંભાતના હોવાનો ઉલ્લેખ મળે છે. ભાઈલાલ કોઠારી સાથે જમિયતજીને સારી
એવી ઓળખાણ હતી. તેઓ તેમની પાસે પહોંચ્યા. કોઠારી તે વખતે તેમના કાકા હરિવંશજી સાથે
એકાંતમાં બેસી નામ-સ્મરણ કરતા હતા. ઓરડાની બહાર ઊભા ઊભા જમિયતખાંએ બધો ઉપદેશ
સાંભળ્યો. તે પછી કોઠારીજીને મળ્યા. ઘેર આવ્યા બાદ તેમણે પણ ભક્તિ શરૂ કરી. આ પ્રમાણેની
વિગત મળે છે. તેમણે સંસારના મોહમાંથી મુક્ત બની સમાજને ઉપદેશ આપતાં ઘણાં ભક્તિપદો
રચી ભક્તિનો બોધ આપ્યો છે.