તેમનો જન્મ ઈ. સ. ૧૯૫૧ પાટણ જિલ્લાના નોરતા ગામે ઠાકોર સમાજના ખેડૂત પરિવારમાં થયો હતો. નરભેરામ મહારાજની પ્રેરણાથી તેમણે સંતસાધના શરૂ કરી હતી. તેમણે જૈન સમાજના બંસીધર મહારાજ (ધરોઈ) પાસેથી ઉપદેશ લીધો હતો. સંત રામદાસની નિશ્રામાં તેમનો આધ્યાત્મિક વિકાસ થયો હતો. નોરતા (પાટણ), તળેટી (જૂનાગઢ), વામૈયા (પાટણ), ધામડી (ઈડર) અને વીરતા (વિસનગર)માં અન્નક્ષેત્રની સ્થાપના તેમની દેખરેખમાં થઈ હતી. તેમનાં ભજનોમાં નિર્ગુણસંતસાધનાના સિદ્ધાંતોનું નિરૂપણ થયેલું છે.