Din Darvesh Profile & Biography | RekhtaGujarati

દીન દરવેશ

  • favroite
  • share

દીન દરવેશનો પરિચય

આ સૂફી સંતનું નામ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં ઘણું જાણીતું છે. ઉત્તર ગુજરાતના વડગામ પાસેના વરણાવાડા મુકામે તેમનો જન્મ થયો હતો. વ્યવસાયે લુહાર હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કામ દરમ્યાન ટોપ ફાટતાં તેમણે એક હાથ ગુમાવ્યો હતો અને નોકરી છોડવી પડી હતી. ખાસ્સો સમય પાલનપુર રહ્યા હતા. તેમનો સમય ઈ. . ૧૭૨૦થી ૧૭૭૦ દરમ્યાનનો ગણાય છે. કુંડળિયા છંદમાં દરવેશ ગીતાઉપરાંત ચિતાવન સાર, રાજ ચેતાવણી, ભમરતોડ, ‘ગગડ નિસાણીવગેરે ગ્રંથો અને છૂટક પદરચનાઓ તેમણે કરી છે. તેમના દીન દરવેશી પંથની શિષ્ય-પરંપરામાં સાંઈ પીરુદ્દીન, બાબા ફાજલ, હુસેન ખાન, બાબા નબી, સાંઈ નૂરુદ્દીન, દેવપુરી, નેક ખાન વગેરે સંતકવિઓ તેમ જ કવયિત્રી મદનાવતી થઈ ગયાં છે.