ઈ.સ. ૧૩૭૭માં હયાત. ગુરુ રામદેવપીર. રાજસ્થાનના મારવાડના સોઢું કાહમીર ગામે મેઘવાળ પરિવારમાં જન્મ. એમના ૧૦૮ પ્રમુખ શિષ્યો હતા. રૂપાંદે-માલદે, લખમો માળી, સૂરસિંહજી એમનાં શિષ્યો હતાં. એમની ચારજુગની ગૂઢ ને આરાધી વાણી મળે છે. ઈ. સ. ૧૫૬૩માં મારવાડની લૂણી નદીને કાંઠે તલવાડા-માલાણી ગામે તેમણે સમાધિ લીધી હોવાનું કહેવાય છે. તેમની મારવાડી રચનાઓ પાઠાંતરે-રૂપાંતરે ગુજરાતમાં મૌખિક પરંપરાથી પ્રચલિત છે. જેમાં મહાપંથનું દર્શન અને ઇતિહાસ જોવા મળે છે.