Devasaheb Profile & Biography | RekhtaGujarati

દેવાસાહેબ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ

  • favroite
  • share

દેવાસાહેબનો પરિચય

સમય ઈ. . ૧૯૨૦ આસપાસ. રાપર (કચ્છ)ના જાનકીદાસજી રાવલ (જિ. જામનગર)માં આવી જગ્યા બાંધે છે. તેની પરંપરાના રામગુરુના શિષ્ય. જન્મસ્થાન અને વતન-રાવલ (જિ. જામનગર), સમાધિસ્થાન-દેગામ (પોરબંદર). અવસાન: .. ૧૯૪૩માં. તેમના ગુરુ-રામગુરુ પોરબંદ૨ પાસેના રામવાવ આશ્રમનાં  મહિલા સંત હતાં. તેમની તથા દેવારામની સમાધિ હાલ પોરબંદર પાસે દેગામમાં આવેલી છે. દેગામના પાદરમાં દેવારામનો વિશાળ આશ્રમ પણ છે. છૂટક ભજનો અને ગુરુમહિમાની સ્તુતિ અને હસ્તપ્રત પ્રાપ્ત થયેલી છે.