મધ્યકાળના સંતકવિ, તેમણે ઉપદેશાત્મક અને જ્ઞાનમાર્ગી ભજનોની રચના કરી છે
દયાનંદ યાને મૂંડિયા સ્વામીનો જન્મ બીલખા (જિ. જૂનાગઢ) પાસેના ડમરાળા ગામે ઈ. સ. 1852માં શ્રીગોડ માળવી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મૂળ નામ દયાશંકર. ઈ. સ. 1886માં જામનગરના સાધુ બ્રહ્માનંદ પાસે દીક્ષા લીધી. સૂફી સંત ઘોડા સાંઈએ આપેલી નિશાની પ્રમાણે તેમણે અંજાર-કચ્છમાં આશ્રમ સ્થાપી લોકસેવા અને જાગૃતિનું કાર્ય કર્યું હતું. સમાધિ ઈ. 1929 જામનગર મુકામે લીધી હતી.