દરિયાખાનઅમદાવાદના રહેવાસી હતા. સંત કબીરે કમાલસાહેબને વસ્તી ચેતાવવાનો આદેશ આપ્યો ત્યારે તે પર્યટન કરતાં કરતાં અમદાવાદ આવ્યા હતા અને તેમણે 60 જેટલા શિષ્યોને ઉપદેશ આપ્યો હતો. તે 60 શિષ્યોમાં સંત દરિયાખાનનું નામ જાણીતું છે. દરિયાખાને સમાજને અધ્યાત્મ અને નીતિનો ઉપદેશ આપતાં ઘણાં ભજનો રચ્યાં છે.