સ્વામીનારાયણ સંપ્રદાયના કવિ, સહજાનંદ સ્વામીના સખા
ચારણ-ગઢવી પરિવારમાં રાજસ્થાનના શિરોહી રાજ્યના ખાણ ગામે જન્મ. જન્મ નામ લાડુદાન. ૧૫/૧૮ વર્ષની ઉંમરે ભૂજની વ્રજભાષા કાવ્ય પાઠશાળામાં રાજકવિ અભયદાનજી પાસે કાવ્યશાસ્ત્ર, પિંગળ, અલંકારશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ઈ.સ. ૧૮૦૪માં સહજાનંદ સ્વામીના શિષ્ય થયા. હિન્દી-ગુજરાતી ભાષામાં આશરે ચાર હજાર પદોની રચના. જીવનનો અંતિમ સમય મૂળી (જિ. સુરેન્દ્રનગર) ગામે ગાળેલો.