તેમનો જન્મ દેવજીભાઈ અને વીરબાઈને ત્યાં મેઘવાળ ગરોળા (ગુરુબ્રાહ્મણ) પરિવારમાં થયો હતો. ત્રિકમસાહેબના શિષ્ય. જન્મસ્થળ અને સમાધિ પોતાના વતન આમરણ (જિ. જામનગર)માં. સુરત-શબ્દયોગના સંતસાધક. મોરબી પાસેના કુતાસી ગામે મોંઘીબાઈ નામે કન્યા સાથે વિવાહ કરેલા. એમની રચનાઓમાં સંતસાધનાના સુરત-શબ્દ યોગનું દર્શન જોવા મળે છે. ભીમસાહેબના બે ખ્યાત શિષ્ય: (૧) જીવણ સાહેબ / દાસી જીવણ અને (૨) અક્કલદાસ / અકલ સાહેબ.