સાધનાપરક ભજનોના રચયિતા શિરમોર સંતકવિ
સમય ઈ. સ. ની ૧૪મી સદી. તે અમદાવાદ પાસેના ધોળકામાં તેમનો જન્મ વણકર પરિવારમાં થયો હતો. પિતા નારણ ચૌહાણ, માતા લખમીબાઈ. તેમનું મૂળનામ ભવાન હતું. ગુરુ જોધલપીર(કેશરડી)ના શિષ્ય. ગુરુમહિમા, બોધ ઉપદેશ અને સાધના-પદ્ધતિનાં ભજનોના રચયિતા.