સમય ઈ. સ. ૧૯મી સદી પૂર્વાર્ધ. તે મૂળ દિલ્લીના રહેવાસી હતા. પણ ફરતાં ફરતાં ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવ્યા હતા. તેમણે હઝરત ફખરુદીન સાહેબ પાસે દીક્ષા લીધી હતી. તેમની દરગાહ ખરોડ (તા. અંકલેશ્વર, જિ. ભરૂચ) ગામે છે. તેમનાં ભજનોમાં ગુરુમહિમા, સૂફીસાધના અને સંતસાધનાનાં તત્ત્વો નિરૂપણ પામ્યાં છે.