વ્રજ વહાલું રે
vraj vhalu re
દયારામ
Dayaram
દયારામ
Dayaram
વ્રજ વહાલું રે વૈકુંઠ નહિ આવું,
મને ન ગમે ચતુર્ભુજ થાવું, ત્યાં મુજ નંદકુંવર ક્યાંથી લાવું! વ્રજ...
સોહિયે લલિતા ત્રિવેણીમાં રે ગિરિધારી,
એને સોહિયે જ્યાં રાધા પ્યારી; તે વિના આંખ ન ઠરે મારી. વ્રજ...
ત્યાંહાં શ્રીવૃંદાવન-રાસ નહીં,
વ્રજવનિતા સંગવિલાસ નહીં; વિષ્ણુ વેણુ વાયાનો અભ્યાસ નહીં. વ્રજ...
સખી સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું,
મને ન ગમે બ્રહ્મસદન અડવું; ધિક જન સુખ પામી પાછું પડવું. વ્રજ...
ગુરુબળે ગોકુળવાસી થઈશું,
શ્રીવલ્લભ શરણે નિત્ય જઈશું; દયા પ્રીતમ સેવી રમી ગાઈશું. વ્રજ...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 62)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
