ઓ વાંસલડી! વેરણ થઈ લાગી રે
o vaansaldii! veran thaii laagii re
દયારામ
Dayaram
દયારામ
Dayaram
ઓ વાંસલડી! વેરણ થઈ લાગી રે વ્રજની નારને;
શું શોર કરે? જાતલડી તારી તું મન વિચારને.
તું જંગલકાષ્ઠ તણો કટકો, રંગરસિયે કીધો રંગચટકો,
અલી! તે ૫ર આવડો શો લટકો? ઓ વાંસલડી!૦
તને કહાનવર તો કરમાં રાખે, તું અધર તણો રસ નિત્ય ચાખે,
હું તો અમને દુઃખડાં બહુ દાખે. ઓ વાંસલડી!૦
તું મોહનના મુખ ૫ર મ્હાલે, તુજ વિના નાથને નવ ચાલે,
હું તો શોક્ય થઈ અમને સાલે. ઓ વાંસલડી!૦
તુંને હરિએ હાથ ગ્રહી લીધી, તુંને સૌમાં શિરોમણિ કીધી,
ક્ષણું મુખથી નવ મૂકી વ્હીલી. ઓ વાંસલડી!૦
હું તુજને આવી નવ જાણતી, નહિ તો તુજ ૫ર મ્હેર ન આણતી,
તારાં ડાળ સાહીને મૂળ તાણતી. ઓ વાંસલડી!૦
દયાપ્રીતમને પૂરણ પ્યારી, તુંને અળગી ન મૂકે મુરારિ,
તારા ભેદગુણ દીસે ભારી! ઓ વાંસલડી!૦
સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 57)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
