nanun sarakhun gokaliyun - Pad | RekhtaGujarati

નાનું સરખું ગોકળિયું

nanun sarakhun gokaliyun

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
નાનું સરખું ગોકળિયું
નરસિંહ મહેતા

(રાગ કાલેરો)

નાનું સરખું ગોકળિયું મારે વહાલે વૈકુંઠ કીધું રે;

ભક્તજનોને લાડ લડાવી ગોપીઓને સુખ દીધું રે. ના૦

ખટદર્શને ખોળ્યો લાધે, મુનિજનને ધ્યાને ના’વે રે;

છાશ વલોવે નંદઘેર વહાલો વૃંદાવન ધેનું ચરાવે રે. ના૦

વણકીધે વહાલો વતાં કરે, પૂરણ બ્રહ્મ અવિનાશી રેઃ

માખણ કાજ મહિયારી આગળ ઊભો વદન વિકાસી રે. ના૦

બ્રહ્માદિક જેનો પાર પામે, શંકર કરે ખવાસી રે,

નરસૈંયાનો સ્વામી ભક્ત તણે વશ, મુક્તિ સરીખી દાસી રે. ના૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 70)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997