nahiin jaun re jamunaa paaniidaan - Pad | RekhtaGujarati

નહીં જાઉં રે જમુના પાણીડાં

nahiin jaun re jamunaa paaniidaan

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
નહીં જાઉં રે જમુના પાણીડાં
નરસિંહ મહેતા

નહીં જાઉં રે જમુના પાણીડાં, મુને મારગડે નંદલાલ મળે;

બાળપણાની સહિયરું દેખે, હું રે ટળું પણ ટળે. ન૦

અમે અમારે મારગ જાતાં, કાનજી કાંકરડી નાખે રે;

દૂર થકી કોઈ દુરિજન દેખે, એવડી આળ કોણ સાંખે રે? ન૦

અમે રે આહીરડાં સદા સુંહાલાં, કઠિણ કઠોર પેલો કહાનુડો;

કંસરાયની આણ માને જશોદાનો કુંવર લાડકડો. ન૦

સાન કરે ને દેહી ૫રવશ થાયે, છાનો વાહે છમકલડો;

નરસૈંયાચા સ્વામીને ક્ષણ મેહેલું, જો આવે એકલડો. ન૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994