maaro naath na bole bol, abole mariiye re - Pad | RekhtaGujarati

મારો નાથ ન બોલે બોલ, અબોલે મરીએ રે

maaro naath na bole bol, abole mariiye re

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
મારો નાથ ન બોલે બોલ, અબોલે મરીએ રે
નરસિંહ મહેતા

મારો નાથ બોલે બોલ, અબોલે મરીએ રે;

હું કેમ કરી વેઠું વિજોગ? હવે શું કરીએ રે? મા૦

સાંભળ, સહિયર! વીનતી, દુઃખ ક્યમ સહેવાયે રે?

મેલી ગયા મુને માવજી, મારો જન્મારો ક્યમ જાયે રે? મા૦

શેરડીએ સામો મળે તો વાટ મરોડી જાયે રે;

ઊંચું જોઉં ત્યારે નીચું જુએ, મુને વડી વિમાસણ થાયે રે. મા૦

મોર-મુગટ, પીતાંબર સોહે, કુંડળ ઝળકે કાન રે;

નરસૈંયાનો સ્વામી મળ્યો રે, વહાલે વાળ્યાં અમારાં વહાણ રે. મા૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 84)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994