મારો નાથ ન બોલે બોલ, અબોલે મરીએ રે
maaro naath na bole bol, abole mariiye re
નરસિંહ મહેતા
Narsinh Mehta
મારો નાથ ન બોલે બોલ, અબોલે મરીએ રે
maaro naath na bole bol, abole mariiye re
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
મારો નાથ ન બોલે બોલ, અબોલે મરીએ રે;
હું કેમ કરી વેઠું વિજોગ? હવે શું કરીએ રે? મા૦
સાંભળ, સહિયર! વીનતી, આ દુઃખ ક્યમ સહેવાયે રે?
મેલી ગયા મુને માવજી, મારો જન્મારો ક્યમ જાયે રે? મા૦
શેરડીએ સામો મળે તો વાટ મરોડી જાયે રે;
ઊંચું જોઉં ત્યારે નીચું જુએ, મુને વડી વિમાસણ થાયે રે. મા૦
મોર-મુગટ, પીતાંબર સોહે, કુંડળ ઝળકે કાન રે;
નરસૈંયાનો સ્વામી મળ્યો રે, વહાલે વાળ્યાં અમારાં વહાણ રે. મા૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 84)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
