Explore Gujarati Pada collection | RekhtaGujarati

પદ

પદ એ ઊર્મિપ્રધાન, ગેય અને લઘુકદ ધરાવતો કાવ્યપ્રકાર છે. આપણા જાણીતા મધ્યકાલીન કવિઓ નરસિંહ, મીરાં, ધીરો, ભોજો, દયારામ વગેરેએ જે લઘુકદના કાવ્યો લખ્યાં એ પદના નામે ઓળખાય છે. પ્રાચીન સમયથી વિવિધ રાગ, ઢાળ, તાલ પ્રયોજીને લખાયેલા અને વિવિધ વિષયોને નિરૂપતા પદો મળે છે. મધ્યકાલીન ગુજરાતી ભક્તિમાર્ગી અને જ્ઞાનમાર્ગી કવિઓનું કાવ્યસર્જન મુખ્યત્વે પદસ્વરૂપમાં થયેલું જોવા મળે છે. પદ એક વ્યાપક સ્વરૂપ છે. જુદા જુદા ભાવો વ્યક્ત કરતાં પદો જુદા જુદા નામે ઓળખાયાં છે. જેમ કે નરસિંહનાં પ્રભાતિયાં, ધીરાની કાફી, ભોજાનાં ચાબખા, દયારામની ગરબી વગેરે પદના જ પ્રભેદો છે. જે પદોમાં ઈશ્વરભક્તિનો ભાવ કેન્દ્રમાં હોય એવાં પદો 'ભજન' નામે ઓળખાય છે.

.....વધુ વાંચો

અક્કલદાસ સાહેબ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ.

અખઈદાસ

મધ્યકાળના મહત્ત્વપૂર્ણ સંતકવિ

  • 1762ના અરસામાં -

અખો

મધ્યકાળના જ્ઞાનમાર્ગી કવિ

અજાન બીબી

ઈસ્માઈલી નિઝારી પીર પરંપરાના સંત કવયિત્રી

  • 17મી સદી - 17મી સદી

અરજણદાસ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ.

અર્જુન ભગત

મધ્યકાલીન નિર્ગુણમાર્ગી સંતકવિ

  • 1856 - 1912

આનંદઘન

જૈન સંપ્રદાયના સાધુકવિ.

  • 17મી સદી - 17મી સદી

આનંદરામ સાહેબ

રવિભાણ સંપ્રદાયના સંતકવિ.

  • 19મી સદી - 19મી સદી

કેશવરામ હરિરામ ભટ્ટ

નર્મદયુગના ભક્તકવિ

  • 1851 - 1896

ગંગાસતી

ગુજરાતી સંતસાહિત્યનાં શિરમોર સંત કવયિત્રી

ગેમલદાસ

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી સંતકવિ.

છોટમ કવિ

19મી સદીના ગુજરાતના સંતકવિ

જીવણ સાહેબ

રવિ-ભાણ પરંપરાના શિરમોર ભજનિક અને સંત, ભીમસાહેબના શિષ્ય

ત્રિકમસાહેબ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ અને ખીમસાહેબના શિષ્ય.

દયારામ

મધ્યકાળના છેલ્લા તેજસ્વી સર્જક

દેવાનંદ

સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંતકવિઓ પૈકીના એક, દલપતરામના કાવ્યગુરુ

  • 1803 - 1854

ધનો

ભક્તકવિ, ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે’ જેવા પ્રચલિત પદનાં કર્તા

  • 19મી સદી પૂર્વાર્ધ -

ધીરો

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાના કવિ

  • 1753 - 1825

નરભેરામ

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ

નર્મદ

કવિ, નિબંધકાર, નાટ્યસંવાદલેખક, આત્મકથાકાર, કોશકાર, પિંગળકાર, ઈતિહાસકાર, પત્રકાર, સંશોધક-સંપાદક અને વિવેચક