sej palang - Lokgeeto | RekhtaGujarati

સેજ પલંગ

sej palang

સેજ પલંગ

મોર બોલે મધુરા રાતે, કે નિંદરા આવે,

હું તો સુતી’તી સેજ પલંગ, કે નિંદરા ના આવે;

હું તો ગઈ’તી ઘનશ્યામના મંદિર, કે હાર મારો હરી લીધો રે;

મોર બોલે મધુરા રાતે, કે નિંદરા ના આવે,

હું તો ગઈ’તી ગોપીનાથના મંદિર, કે હાર હરી મારો લીધો રે;

મોર બોલે મધુરા રાતે, કે નિંદરા ના આવે,

હું તો ગઈ’તી ઘેલાના ઘાટે, કે હાર મારો હરી લીધો રે;

મોર બોલે મધુરા રાતે, કે નિંદરા ના આવે,

હું તો સુતી’તી સેજ પલંગ, કે નિંદરા ના આવે,

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968