atmagyan - Ghazals | RekhtaGujarati

આત્મજ્ઞાન

atmagyan

કાન્ત કાન્ત
આત્મજ્ઞાન
કાન્ત

અહા! શા આજ વર્ષાવે સ્વરો આત્મા પરે આશા!

બળેલો આર્ત શો સ્વરસ્નાને કરે આશા!

અરે! શું આવશે ત્યારે ફરીશું સાથ એવો દિન,

કદાપિ સ્નેહને સ્વર્ગે? કહે શૂં ખરે? આશા!

અને શું રૂઝશે આખર ઝખમ શુદ્ધ હૈયાનો,

અને ચાલશે સાથે? દયા કેવી કરે, આશા!

નહીં પરવા જરા અમને, કશી વસ્તુ ઐહિકની;

કરે સંતોષ જો તેને મને તો ઉદ્ધરે આશા!

નિહાળું હા! ભવિષ્યે જો ઘડી પણ નેત્રરસ જૂનો,

સખાનો સૌમ્ય, હૈયું તો સુખે ભવમાં તરે, આશા!

મને મીઠી રહી આસ્થા સદા તવ ગાનમાં, દેવી!

સ્વરો દિવ્ય જીવનને ભરે ને સાંભરે, આશા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942