aa wicharo kyan mane lai jai rahya chhe palkhiman e ja mare jowun chhe - Ghazals | RekhtaGujarati

આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યા છે પાલખીમાં એ જ મારે જોવું છે

aa wicharo kyan mane lai jai rahya chhe palkhiman e ja mare jowun chhe

અનિલ ચાવડા અનિલ ચાવડા
આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યા છે પાલખીમાં એ જ મારે જોવું છે
અનિલ ચાવડા

વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યા છે પાલખીમાં મારે જોવું છે;

કોણ છે મારા નયનમાં, શ્વાસમાં ને ચામડીમાં મારે જોવું છે.

કોઈ પંખીનું મજાનું ગીત, પીંછું, પાંખનો ફફડાટ અથવા કાંઈ પણ;

વૃક્ષમાં છે કે નહીં, છે તો પછી કઈ ડાળખીમાં મારે જોવું છે.

આવ મારાં આંસુની તીવ્રતા! તું આવ તારી રાહમાં છું ક્યારનો,

કેટલું વ્હેરી શકે છે તું મને શારડીમાં મારે જોવું છે.

હું કશું બોલી શકું નૈં, સાંભળી પણ ના શકું, સ્હેજે વિચારી ના શકું,

કોણ રીતે મને બાંધી ગયું છે લાગણીમાં મારે જોવું છે.

કોઈ બાળક જેમ પાછો જીદ લઈ બેઠો સમય, એક રટણ બોલ્યા કરે,

‘કૃષ્ણ જમના સોંસરા જે નીકળ્યા'તા છાબડીમાં મારે જોવું છે.'

સ્રોત

  • પુસ્તક : સવાર લઈને (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સર્જક : અનિલ ચાવડા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2012