ન સૂર વિલાપનો
na suur vilaapno
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
તરુવર ધરિત્રીને અંકે ઢળે, સહુ પીડ તે
સહી જતી મૂગા હૈયે, કોઈ ન સૂર વિલાપનો.
વનમહિં વસી જાણ્યો એણેય ધર્મ દધીચિનો;
અરિકર મહીં જેણે અર્પી દીધાં નિજ અસ્થિને.
નિજ વિલય કેરું નેત્રોમાં રમે કંઈ દર્શન :
મખ અનલના પર્જન્યે ત્યાં પ્રજાની પ્રસન્નતા,
જલધિ જલ ઓળંગી જાતી બને તરણી, તથા
નગરમહિં વા ક્ષેત્રે કોઈ રચાય નિકેતન.
યુગ યુગ પછી લાધે જેને વિવર્તનની પળ,
મરણ પણ ત્યાં મોઘું - એની લહે વર ધન્યતા;
સ્થળમહિંય જે સ્થાણુ તેને મળે ગતિ સર્વથા.
હસતી પરવાળાંને રંગે નવોદિત કૂંપળ.
જયહિં ચરણની કેડીયે ના ત્યહીં રથચક્રની
દડ મજલથી વાજી રે'તી હવે શત ઘંટડી.
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 23)
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
