aa andhkar sho mheke chhe! - Geet | RekhtaGujarati

આ અંધકાર શો મ્હેકે છે!

aa andhkar sho mheke chhe!

પ્રજારામ રાવળ પ્રજારામ રાવળ
આ અંધકાર શો મ્હેકે છે!
પ્રજારામ રાવળ

અંધકાર શો મ્હેકે છે!

શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે!

ને, શેાભાથી વિસ્મિત વિસ્મિત નભથી શું તારા ઝૂક્યા છે!

ઘટા સઘન ઘનશ્યામ નિહાળી મયૂર મનના ગ્હેકે છે!

અહો, વહે શી હળવે હળવે સુરભિ મગન મન ભરી દઈ!

દિગ્દિગન્તમાં, -બસ અનન્તમાં સરી જાય ઉર હરી લઈ!

અંધકારના મસૃણ હૃદયથી નિગૂઢ બલ્બુલ ચ્હેકે છે!

સ્વચ્છ, સુભગ મધરાત વિષે કાલતણું ઉર શાન્ત અહો!

મધુર મૌનથી સભર શરદનું નીલમ એકાન્ત, અહો!

પૃથિવીકેરું પારિજાત શું ફુલ્લ પ્રફુલ્લિત બ્હેકે છે!

સ્રોત

  • પુસ્તક : નાન્દી (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સર્જક : પ્રજારામ રાવળ
  • પ્રકાશક : શ્રી હરિહર પુસ્તકાલય
  • વર્ષ : 1963