hun - Free-verse | RekhtaGujarati

અંધારની રણરેતમાં

મૃત ચન્દ્રકેરા પ્રેત શો ભમતો ફરું;

પવનનાં હાડ તીણાંની સરાણે

બુઠ્ઠા થયેલા શૂન્યની રે ધાર હું કાઢ્યા કરું;

તેજના મૃગજળતણે તળિયે જઈ

મારી છાયા ઉતરડી ડુબાડવાને હું મથું;

મૂર્ચ્છિત ઈશ્વરની લૂખી આંખો નિચોવી

મુમૂર્ષ કાળના રે મુખમાં ટોયા કરું.

સ્રોત

  • પુસ્તક : સુરેશ જોષી સંચય (પૃષ્ઠ ક્રમાંક 138)
  • સંપાદક : શિરીષ પંચાલ, જયંત પારેખ
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 1992