દલિત કવિનું વસિયતનામું
dalit kavinun vasiyatnaamun
જયન્ત પરમાર
Jayant Parmar

દલિત કવિ પોતાની પાછળ
શું શું મૂકી જાય છે –
રક્તથી ખરડાયેલ કાગળ
રાત્રિના માથા પર કાળો સૂર્ય
કલમની નિબ પર આગનો દરિયો
પૂર્વજોએ રક્તમાં સળગાવેલ ચિંગારી
એ નથી કરતો તમારા પર આક્રમણ
રૂપકોનાં
ઉપમાઓનાં
વ્યક્તિત્વનાં
ગર્દભની પીઠ પરનો ભાર એ
પોતે જ છે ઘાયલ પડછાયો
કોઈ અસ્તિત્વ નથી એનું
કોઈ ફર્ક નથી
તૂટેલા કપમાં અને એનામાં
ગોબર માટીની તસવીર બનાવનાર
એટલી સમજ તો છે એનામાં
રેતઘડીમાં, શરણાર્થી માટીની ગંધમાં
વિદ્રોહના સૂર્યમુખીમાં
કલમની અણી અને ખડિયાની કાળી
સ્યાહીમાં
કળા છે સહીસલામત
પરંતુ હવે એને શોધ છે પોતાની
બહુ ગર્વથી કહે છે :
પોતાને દલિત!



સ્રોત
- પુસ્તક : દલિતસાહિત્ય (પૃષ્ઠ ક્રમાંક 17)
- સંપાદક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2010