Canadyna Avasan Par - Free-verse | RekhtaGujarati

કેનેડીના અવસાન પર

Canadyna Avasan Par

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
કેનેડીના અવસાન પર
મણિલાલ દેસાઈ

તો પછી ચાલો

આપણે બધા પાછા વળીએ

ને બહાર ઊભેલી ભીડને કહીએ

કે

ઈસુ હવે મરી ગયા છે,

ગાંધી હવે મરી ગયા છે,

જેથી

લોકો એકબીજાની વેદનાને ચાહવા માંડે,

એકબીજાના ઘાને પંપાળવા માંડે

અને

કાલે નહિ ઊગવાના સૂરજની રાહ જોવામાં

આજની રાત બગાડે.

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑગસ્ટ, 1968 (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ